'हर एक क्षत्रिय और पाटीदार के लिए '
આજે મોદી સાહેબ ના જુના ફેકમ ફેંક કરતા ભાષણો વિશે શોધ ખોળ કરતા ગોપાલભાઈ ઇટાલીયા(સાહેબ) કે જે પાટીદાર આંદોલન સાથે પણ જોડાયેલા છે તેમનો જુનો એક લેખ હાથમાં આવી ગયો દરબારુએ થોડુંક ગૌરવ પણ લેવા જેવુ છે ને વિચારવા જેવુ પણ
Digital darbarno Digital itihas
[caption id="attachment_372" align="aligncenter" width="382"] hindu[/caption]
**** ડિજીટલ દરબાર નો ડિજીટલ ઈતિહાસ****
પાણીના કોઈ પરબ પર એક જ ગ્લાસ હોય અને પાણી પીવાવાળાની ભીડ હોય ત્યારે આપણી આગળ પાણી પીતો માણસ પાસે જો આપડે ગ્લાસ માંગીશુ તો તે માણસ પહેલા પોતાના સાથી-મિત્રો કે સગાવહાલાને ગ્લાસ આપશે.
કોઈની પાસે ઉછીના ૨૦૦૦ રુપિયા માંગવા જાઓ તો તમને લગભગ પૈસા આપવાના બદલે મંદી અને મોંઘવારીની વાર્તાઓ સાંભળવા મળે.
અરે ભાઈ રેલ્વે સ્ટેશને જાઓ તો સરકારી ટ્રેનના ડબ્બામાં પણ રૂમાલ મુકી દીધા પછી એ સીટ પર રૂમાલ મુકનાર કોઈને બેસવા દેતો નથી .
અરે ભાઈ ૧૦૦ ની નોટના છુટા(ખુલ્લા) લેવા જાવ તો પણ વટાવ આપવો પડે છે, મફતમાં ખુલ્લા પણ મળતા નથી .
કહેવાનો મતલબ એમ કે દુનિયાના કોઈ માણસને એક પાંચિયા કે પાવલી જેટલુંય જતુ કરવુ નથી કે પોતાના હક્ક હિસ્સો જતો કરવો નથી, અરે છુટ્ટા(ખુલ્લા) જેવી શી** જેટલી વાતમાં પણ માણસ અત્યારે વટાવ માંગે છે ત્યારે.
આખા ભારત ઉપર જેના બાપ-દાદાઓના નામનો કાયદેસરનો રૂમાલ હતો એવા ગરાસિયાઓને હું આજ જરૂર યાદ કરીશ, માણસ પોતાના સગ્ગા ભાઈને જમીનમાંથી એક ટુકડો પણ વધારે નહી આપવાં માટે આખી જીંદગી કોર્ટના ધક્કા ખાઈ ને અંતે મરી જાય છે પણ આ તો વાત ત્યાગ ભાવનાની છે, આંખના પલકારા જેટલા સમયમાં આખા ભારત આખામાંથી રૂમાલ ઉઠાવી લીધો અને પોતાનુ સર્વસ્વ ગરીબોના માટે સમર્પિત કરી દીધુ. પોતાનો હક્ક જતો કરવો એનાથી મોટી બહાદુરી એક પણ નથી, જે માણસ સાર્વજનિક પરબનો ગ્લાસ પણ બીજાને ના આપી શકતો હોય ત્યારે આખુ ભારત મફતમાં આપી દીધુ એવા મહાન મહારાજાઓની મહાનતા સમજવા માટે હજુ મારે બે-ચાર જનમ લેવા પડશે,
'हर एक क्षत्रिय और पाटीदार के लिए '
આજ આપણા દેશમાં સરદાર પટેલ, ડૉ.આંબેડકર, ગાંધીજી, જવારહરલાલ નહેરૂ, જેવા અનેક નામી-અનામી રાજપુરૂષોના પુતળાઓ ઉભા કરવામાં આવ્યા છે અને દેશની વિધાનસભાઓ / લોકસભામાં તેમના ફોટાઓ રાખવામાં આવ્યા છે, તેમના નામે હજારો યોજનાઓ બહાર પાડવામાં આવી છે, પરંતુ આખુ ભારત જેના બાપનુ હતુ અને એક સેકન્ડમાં પ્રજાની સેવામાં સઘળુ ન્યોચ્છાવર કરી દીધુ, એવા રાજામહારાજાનો એક પણ ફોટો કે એમના નામે એક પણ યોજનાઓ જોવા મળતી નથી, જવાહરલાલ નહેરૂ અને રાજીવગાંધીના નામ પર ગરીબો માટેની હજારો યોજનાઓ જોવા મળે છે પણ રાજાના નામે એક પણ યોજના કેમ નથી?
શું રાજાઓ ગરીબ વિરોધી હતા? નહી જ પરંતુ જે મહારાજાઓએ ગરીબોના નામે બધુ ત્યાગ કર્યુ એ જ ગરીબોના નામે આ લંપટ રાજકારણીઓ મતબેંકની રાજનિતી કરી ગયા.
અરે આજના એક પણ રાજકારણી પોતાની માં ના પેટમાં પણ નહી હોય ને ત્યારે આપણા મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સાહેબે અમરેલીમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કર્યુ હતુ, અને આ લુચ્ચાઓ આજ લોકોને મફત અને ફરજીયાત શિક્ષણના કાયદાઓ બનાવી રાજીવ ગાંધીના નામે યોજના બનાવી દીધી.
ભાઈ તમારા રાજીવગાંધી અને જવાહરલાલ, શાહ, જેટલી, ડડવાણી, ના જન્મ પહેલા અમારા રાજાઓ માહિતી અધિકારનો કાયદો લાવ્યા હતા અને જે માણસને જે કંઈ પણ તકલીફ હોય તો રાજાના દરબારનો ઘંટ બેફિકર વગાડી શકતા હતા અને ન્યાય મેળવી શકતા હતા ભાઈ
વાંચે ગુજરાત નામની સરસ યોજના લાવી અને લોકોને ઈતિહાસ અને વિજ્ઞાન વંચાવવાને બદલે ફક્ત ને ફક્ત સરકારી યોજનાઓની જાહેરાતો જ વંચાનાર લોકો જ્યારે પેદા પણ નહી થયા હોય ને ત્યારે ભવનગરના મહારાજા નેક નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજીના ગોહિલના રાજવંશ તરફથી બાર્ટન નામની લાયબ્રેરીની સ્થાપના કરી દીધી હતી અને આજે પણ રોજના હજારો લોકો ત્યાં વાંચે છે, (બાર્ટન લાયબ્રેરીનો વાંચક હું પણ રહી ચુક્યો છુ)
ઉનાળામાં લોકો માટલા લઈને રોડ ઉપર ઉતરી જાય છે, ઠેર ઠેર પાણી કાપના કકળાટ ચાલુ થાય ત્યારે જવાહરલાલના નામે મોટી મોટી ફેંકનારા લોકો ઘરભેગા થઈ જાય છે પણ અમારા રાજવંશોએ “મલાવ તળાવ” બંધાવી આપ્યુ હતુ અને માણસ તો ઠીક ચાર પગવાળું પ્રાણી પણ પોતાની તરસ છીપાવી શકે તે માટે છેક જળ ની સપાટી સુધી પગથિયા વાળી “અડાલજની વાવ” અમને અમારા માઈબાપ મહારાજાઓ એ બંધાવી આપી હતી.
ગરીબ, ગરીબ ગરીબ કરીને દેશમાં એકદમ ગંદા પ્રકારનું રાજકારણ રમી રહ્યા છે એ લોકો સાંભળી લે કે ગરીબોની ખરેખર આટલી ચિંતા થતી હોત ને તો આજ ભારતમાં કોઈ ગરીબ જ ના હોત, ગરીબો માટે દિલમાં કેટલી ક્ષમાભાવના હોય અને કેટલી હોવી જોઈયે એ જાણવુ હોય તો અમારા મિનળદેવીબા એ બંધાવેલ ધોળકાનું તળાવ જોઈ લેવુ ભાઈ.
એ સમય હતો જ્યારે રાજામહારાજાઓના નામ પર અંધારામાં લોકો જંગલ પાર કરી જતા હતા, કોઈની માં એ એટલી સુંઠ ખાધી ના હતી કે એનો દિકરો પરસ્ત્રી સામુ ઉંચી આંખ કરીને પણ જોઈ શકે, અને આજના નમાલાઓના નાક નીચે(દિલ્લી) જાહેરમાં ચિરહરણ થાય
સવારે બનાવેલ રોડમાં સાંજ સુધીમાં ખાડા પડી જાય છે અને સામાન્ય વરસાદમાં આખો ચેકડેમ તનાઈ જાય છે તેવી પરિસ્થિતીમાં વિકાસની બુમાબુમ કરતા લોકો ભુગર્ભમાં ઉતરી જાય છે એમણે ક્યારેક અમારા રાજાએ બંધાવેલ સાર્વજનિક બાંધકામો જોઈ લેવા જોઈયે, હજારો વર્ષોથી અડિખમ ઉભેલા મહેલો, તળાવો, અલગ અલગ વાવ, ચબુતરાઓ, ચોરાની આજે કાંકરી પણ ખરી નથી અને અલગ અલગ જિલ્લામાં આવેલી કોટ(શહેર ફરતી દિવાલ) આજે પણ અમને અમારા મહારાજા સાહેબની હાજરીની પ્રતિતી કરાવે છે.
જ્યારે હોય ત્યારે ગરીબ ગરીબ ગરીબ કરીને ગરીબના હીત અને ગરીબના હક્કની વાત કરનારાઓ, ગરીબોના નામે જાતિવાદ અને અસ્પૃશ્યતા ફેલાવનારાઓ આજ ચુંટણી સિવાય ક્યારેય ગરીબોનું સાંભળવા તૈયાર નથી. અને ચુંટણી સમયે પણ ૨૦ વાળી પોટલી(કોથળી) મફતમાં પીવડાવીને ગરીબો ઉપર ઉપકાર કર્યો હોય એવી ફિલિંગ અનુભનારાઓ ક્યારેક ઈતિહાસ વાંચી લે તો ખબર પડે કે ડૉ.આંબેડકર જેવા (જે તે સમયે અત્યંજ ગણાતા) લોકોને વિદેશમાં ભણાવા જવા માટે સહાય મહારાજા ગાયકવાડ અને છત્રપતિ સાહુ મહારાજે કરી હતી.
ત્યારે આજના રાજકારણીઓ લોકોના પૈસાના ઘઉઁચોખા આપીને પોતાની જાતને ભગવાન માનવા લાગે છે. યાદ રાખો કે તમે એક જ ગરીબોના બેલી નથી પણ ગરીબો માટે અમારા રાજાએ ઘણુ કર્યુ હતુ.
ઉદારતાની, ક્ષમાની, કરૂણાની, પ્રેમની, પ્રજાવત્સલતાની, વીરતાની તો ઘણી બધી વાતો છે જે અહિંયા કરવી અશક્ય છે પણ આ પોસ્ટ લખાવાનું મુળ કારણ મારા ખાસ મિત્ર પરિક્ષિતસિંહ, જેઓ હાલમાં લેવાયેલી PSI ની પરિક્ષામાં પસંદગી પામ્યા છે, તેમના દ્વારા મને જાણવા મળેલ કે હમણા લેવાયેલ PSI ની પરિક્ષામાં જનરલ ઉમેદવારો નું મેરીટ ૩૧૩.૬૦ હતુ જ્યારે ઓબીસીનું મેરીટ ૩૦૬ હતુ. વધુમાં તેઓએ મને જણવેલ કે જે લોકોને જનરલના મેરીટ ૩૧૩ માર્કસ કરતા ઓછા માર્કસ હોય પરંતુ ઓબીસીના માર્ક્સ ૩૦૬ કરતા વધારે હોય એવા કેટલાય ઉમેદવારો હતા પણ ખાસ નોંધવા લાયક વાત એ હતી કે ૩૦૬ કરતા વધારે માર્ક્સ લાવનાર લોકોમાંથી ૬૦ થી વધુ તો ફક્ત ગરાસિયા દરબારો જ છે.
એટલે જોવા જઈયે તો ઓબીસીના માર્કસ ૩૦૬ ની કિંમત વધારે અને જનરલના ૩૦૭ થી ૩૧૨ માર્કસની કિંમત સાવ શુન્ય?? છે ને જબરજસ્ત લોજીક આપણી સરકારનું, અરે ભાઈ જેના વડવાઓએ બધુ આપી દીધુ હોય એની ત્યાગભાવનાની કદર કરવાને બદલે તેમને વોટબેંક અને અનામતની રાજનીતિ કરી હક્કથી પણ વંચિત રાખો? દરબારોથી તો આ દુખ સહન નહી જ થતુ હોય પણ મને આ સાંભળીને ખુબ દુ:ખ લાગ્યુ મિત્રો.
હવે બીજી વાત ઓબીસીના મેરીટ મુજબ ૩૦૬ અને તેનાથી વધારે માર્ક્સ લાવનાર અને PSI ના પદ માટે પસંદગી પામનાર ઉમેદવારોમાં ઘણા બધા ઉમેદવારોના નામ “સિંહ” વાળા છે અને ઘણાની અટક પણ દરબારી છે, આમ અનામતની ગંદી રાજનીતિ અસલ રાજપુતની ઈજ્જત, સંસ્કારો, તેમજ ઈતિહાસને તો નુકશાન કરે છે પણ સાથે સાથે હક્કથી પણ વંચિત રાખે છે.
ક્ષત્રિયો પોતાના મોભા, માન અને મર્યાદાથી બંધાયેલા છે એટલે જ હજુ પણ અન્યાય સહન કરી રહ્યા છે, પોતાના બાપદાદાઓના નામનો એક પણ ફોટો લોકસભામાં નથી કે રાજાઓના નામની એકપણ યોજના નથી આમ છતા ક્યારેય તે બાબતે આંદોલન કે રજુઆત નહી કરીને પોતાના વડવાએ કરેલ ત્યાગને સાર્થક કર્યો છે.
પરંતુ દેશ હવે ડિજીટલ થવા જઈ રહ્યો છે, લોકોને ઈતિહાસ કરતા વિજ્ઞાનમાં વધારે રસ પડવા લાગ્યો છે, મહારાજાઓએ શું કર્યુ હતુ એ જાણવાને બદલે કઈ શોધ ક્યારે થઈ અને હવે કઈ શોધ થવાની છે એ બાબતે વધારે કાળજી લેતા થયા છે, ઈતિહાસની સાક્ષી પુરવા માટે મહેલો અને અન્ય જાહેર બાંધકામો જ વધ્યા છે ત્યારે ક્ષત્રિયોઓએ દર દશેરાએ શસ્ત્રોનું પુજન કરી અને પછી કબાટમાં કે પેટીમાં મુકી દેવાને બદલે શસ્ત્રો ઉપાડવાનો સમય આવી ગયો છે, આઝાદી મળ્યા પછી જે શસ્ત્રોનો ફક્ત પુજવામાં જ ઉપયોગ થતો આવ્યો છે એવા શસ્ત્રોનો યોગ્ય ઉપયોગ કરવાની ઘડી આવી ગઈ છે,
આ સમય છે લોકશાહીનો અહીં “આંદોલન” “સંગઠન” “મત” વગેરે પ્રકારના શસ્ત્રો ઉપલબ્ધ છે જે જેના બાપદાદાનું હતુ તેમાથી તેમને થોડોક હક્ક મળે તે સારૂ શસ્ત્ર ઉઠાવો,
ગાયો, બ્રાહ્મણોના પ્રતિપાળ એવા ક્ષત્રિયો હવે જાગે અને ગાયોના નામે રાજકારણ કરનાર અહંકારીઓ, તેમજ અનામતનું રાજકારણ કરીને બ્રાહ્મણો તેમજ ક્ષત્રિયોના હક્કને નુકસાન પહોંચાડનાર, તેમજ નકલી “સિંહો”ને લલકારીને ક્ષત્રિયોના સુવર્ણ ઈતિહાસને ફરી એકવાર વિશ્વફલક પર ઝળકાવવાની આ ડિજીટલ તક ઝડપી લે એવી અપેક્ષા.
હવે આ દેશમાં સુધારો લાવવા કે સુશાસન લાવવા માટે અમને રાજનેતાઓ કરતા રાજવંશ પર વધારે વિશ્વાસ છે. અને રાજવંશનો ઈતિહાસ સાક્ષી છે કે તેઓએ ક્યારેય કોઈને અન્યાય નથી કર્યો.
આ દશેરાએ શસ્ત્રોને ફક્ત પુજવાને બદલે શસ્ત્રોને સજાવો અને ખબરાદાર બનો એ જ સાચુ શસ્ત્ર પુજન છે.
આજે નહી તો ફરી ક્યારેય નહી,
****ચિનગારી****
જો આજ આપણે ફરીવાર ઈતિહાસ નહી લખીયે તો આપણા બાળકો પાસે ગર્વ લેવા જેવુ કંઈ
જો આજ આપણે ફરીવાર ઈતિહાસ નહી લખીયે તો આપણા બાળકો પાસે ગર્વ લેવા જેવુ કંઈ જ નહી હોય.
(આ પોસ્ટમાં ક્ષત્રિયો વિશે લખવામાં કે ઈતિહાસ દર્શવવામાં કોઈ ભુલ થઈ હોય તો માફી માગુ છુ અને મારી ભુલને સુધારીને મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરશો તો મને વધારે ગમશે)
આજના પ્રસંગે હું અમારા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજીને વંદન કરૂ છુ અને તેમના શબ્દો “મારી પ્રજાનુ કલ્યાણ થાજો” યાદ કરૂ છુ અને ગર્વ અનુભવુ છુ કે અમે કૃષ્ણકુમારસિંહજી જેવા મહાન મહારાજાની પ્રજા છીયે.
****જય રાજપુતાના***
***જય હિંદ****
ગોપાલ ઈટાલીયા (સાહેબ)
No comments:
Post a Comment